નાના પડદાના પ્રખ્યાત રિયાલિટી શો “કૌન બનેગા કરોડપતિ” ની બારમી સિઝન ચર્ચામાં છે. અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવેલ આ શો દર વખતની જેમ આ વખતે પણ ખૂબ ચર્ચામાં છે. 11 નવેમ્બર, 2020ના રોજ પ્રસારિત થયેલ એપિસોડમાં KBCને તેનું પહેલું કરોડપતિ મળ્યું છે. જોકે, આ સ્પર્ધક સાત કરોડના પ્રશ્ને અટકી ગયા હતા.
નાઝિયા બની આ સિઝનની પહેલી કરોડપતિ
કેબીસીની બારમી સિઝનમાં, તાજેતરમાં દિલ્હીમાં રહેતી નાઝિયા આ સિઝનના પ્રથમ કરોડપતિ બની હતી. જોકે નાઝિયાએ એક કરોડની રકમ જીતી હતી. નાઝિયા સાત કરોડના સવાલનો જવાબ આપી શકી નહોતી અને તેણે શો છોડી દીધો.
શું હતો 7 કરોડનો સવાલ?
ખરેખર, સુભાષચંદ્ર બોઝને લગતો નાઝિયા પાસેથી સાત કરોડનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેનો તેણી કોઈ જવાબ આપી શકી ન હતી. નાઝિયાને સવાલ કરવામાં આવ્યો હતો કે નેતાજી સુભાષચંદ્રે સિંગાપોરમાં આઝાદ હિન્દ ફૌજની જાહેરાત ક્યાં કરી હતી. પરંતુ નાઝિયા આ પ્રશ્નનો જવાબ આપી શકી નહી, અને તેણીએ એક કરોડમાં જ જીત મેળવી અને શોને અલવિદા કહી દીધું હતું.
શું છે આ 7 કરોડના સવાલનો જવાબ?
નાઝિયાને જે સાત કરોડ રૂપિયાનો પ્રશ્ન પુછવામાં આવ્યો હતો તેનો જવાબ અમે તમને જણાવીએ છીએ. હકીકતમાં, નેતાજી સુભાષચંદ્ર બોઝે 21 ઑક્ટોબર 1943 ના રોજ સિંગાપોરમાં સ્વતંત્ર ભારતની હંગામી સરકાર બનાવવાની ઘોષણા કરી હતી. તે જ સમયે, આઝાદ હિન્દ ફૌજ નવા ઉછેર કરવામાં આવ્યો. આ ઘોષણા સિંગાપોરના કૈથે સિનેમા હોલમાં કરવામાં આવી હતી.