દેવી અન્નપૂર્ણાની મૂર્તિ 100 વર્ષ પહેલાં વારાણસીમાંથી ચોરાઈ હતી. તાજેતરમાં આ મૂર્તિ કેનેડામાંથી મળી આવી હતી.
ANI રિપોર્ટ અનુસાર, આ મૂર્તિ કેનેડાથી ભારત પરત આવી છે અને 15 નવેમ્બરે કાશી વિશ્વનાથ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. ભારત સરકારે 11 નવેમ્બરે આ પ્રતિમા ઉત્તર પ્રદેશ સરકારને સોંપી હતી.
એક અહેવાલ મુજબ, આ મૂર્તિ 12 નવેમ્બરે દિલ્હી અને કન્નોજથી અલીગઢ પહોંચશે. આ મૂર્તિ 14 નવેમ્બર, રવિવારે અયોધ્યા પહોંચશે અને 15 નવેમ્બર, સોમવારે કાશી વિશ્વનાથ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.
An idol of Maa Annapurna, which was stolen from Varanasi about 100 yrs ago was retrieved from Canada recently. The idol will be installed at Kashi Vishwanath Temple on Nov 15. Govt of India will handover the idol of Maa Annapurna to UP Govt today: MoS MEA Meenakshi Lekhi at Delhi pic.twitter.com/xcSXqrTsjD
— ANI (@ANI) November 11, 2021
અન્નપૂર્ણા દેવીની આ મૂર્તિની લંબાઈ 17 સેમી અને પહોળાઈ 9 સેમી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાંથી ચોરાયેલી ઘણી પ્રાચીન મૂર્તિઓ ઘરે પાછી આવી છે.
વડા પ્રધાન મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અને તેમની સાથે હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મો સાથે સંબંધિત 157 કલાકૃતિઓ, શિલ્પો સાથે સ્વદેશ પરત ફર્યા હતા. જેમાં 12મી સદીની નટરાજની મૂર્તિનો સમાવેશ થાય છે.